સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ ફતેહવાડીમાં રહેતા બે શખ્સ નકલી નોટો લઈ ઉજાલા સર્કલ તરફ આવવાના છે. જેથી પોલીસે સર્કલ પાસે વોચ ગોઠવી. શંકાસ્પદ શખ્સ આવતાં જ બંનેને પોલીસે ઝડપી લીધાં. બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા એકનું નામ લક્ષ્મણ બેગડા અને કૃણાલ ઠક્કર હોવાનું સામે આવ્યું. તેઓ પાસે રહેલા થેલામાંથી કુલ 367 જેટલી રૂ. 2000ના દરની નોટો મળી આવી. પોલીસે નકલી નોટો અંગે ખાતરી કરવા FSL ના અધિકારીને જાણ કરી.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે વડોદરાના બાપૂ ઉર્ફે ભુવાજી એ આ બને શખશોને આ નોટો આપી હતી. અને નકલી નોટોને તાંત્રિક વિધિથી અસલી બનાવવાનું કહીને રવાના કર્યા હતા. પરંતુ બે દિવસ પછી ભુવા ઉર્ફે બાપુ એ નકલી નોટો અસલી નહિ થાય તેવું જણાવ્યું. આખા નકલી નોટોના શડયંત્રમાં એક શિક્ષક મનુસિંગ અને મહેબૂબ ખાન ના નામ પણ સામે આવ્યા છે. બીજીતરફ FSLના અધિકારીએ નોટો તપાસ કરતા સાચી નોટ કરતા આ નોટોનો કલર અને ક્વોલિટી નબળી હતી. નોટોની વચ્ચે સિક્યુરિટી થ્રેડ અને વોટર માર્ક પણ નહોતા. જુદા જુદા સીરિયલ નંબરની અનેક નોટો છે.
પકડાયેલા બને આરોપીઓ નોટો વટાવી 50-50 ટકા કમાણી કરવાના હોવાનું સામે આવ્યું હતું.
