દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી છે.
તેવામાં નરોડામાં વિસ્તારમાં આવેલ મધુવનગલોરી ફ્લેટમાં રહેતી બે બાળક સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ અર્થે દાન કરવામાં આવ્યું છે અને એક દરેકને એક સંદેશ આપ્યું છે કે દેશના દરેક હિન્દુ એ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે બની શકે તેટલું દાન કરવું જોઈએ અને દેશ ભરમાં ચલાવવામાં આવી રહેલ આ મુહિંમને સાથ સહકાર આપવો જોઈએ.
