હાલ નેતાઓ માટે ચૂંટણી નો તહેવાર ચાલી રહ્યો છે તમામ ઉમેદવારો પોતાની જીત માટે તનતોડ મેહનત કરી રહ્યા છે ભાજપની ટિકિટને લઇને નવી રણનીતિ થી જેલોકોને ટિકિટ નથી તે લોકો નારાજ છે તો અમુક કોર્પોરેટરે તો નારાજ થઇ ને કામ કરવાનું બંધ કરી દીધું અને વિરોધ પણ કર્યો હતો.

પરંતુ અમદાવાદના અસારવા વિસ્તારના કોર્પોરેટર શ્રી સુમન રાજપુતે ટિકિટ ન મળવા છતાં નારાજગી કર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને આજ રોજ તેમના વિસ્તારમાં યુ.સી.ડી કેન્દ્ર સાથે મળીને ૦૫ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ બનવવાની કામગીરી હાથધરી છે.
