કોરોનાં સંક્રમણ ગુજરાતમાં ફરી એક વાર વધવા લાગ્યુ છે આગામી ૨૯મી માર્ચે ધૂળેટી આવી રહી છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ઉથલો માર્યો છે.
ત્યારે આગામી હોળી ધુળેટીનાં તહેવારની ઉજવણીમાં અમદાવાદ-સુરતની ખાનગી કલબ તેમજ સંસ્થાઓએ સ્વયંભુ રીતે ધુળેટીનાં કાર્યક્રમો રદ કર્યા છે.
શહેરની નામાંકિત બે ક્લબોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજપથ અને કર્ણાવતી કલબે નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે
