તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.
સરકારની પ્રિ મોન્સૂનની વાતો નીકળી સૌપોકળી, તંત્રની બેદરકારીના કારણે પ્રજાને નુકશાન ભોગવવું પડે છે, ઘણા સમયથી અમદાવાદના સરસપુર વિસ્તારમાં મિલન સિનેમા પાસે ગટર તૂટેલી હાલતમાં હોવાથી ત્યાં ગંભીર અકસ્માત સર્જાઈ શકેછે જેને કારણે સ્થાનીય રહીશો દ્વારા ઘણીવાર તંત્રમાં ફરિયાદ કરી હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી.
જેના કારણે ગત રોજ એક વૃદ્ધ વ્યક્તિ સાયકલ લઈને પસાર થઇ રહ્યા હતા તયારે તૂટેલ ગટરમાં સાયકલ ફસાતા ગટર પર પડતા અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઇજા પણ પહોંચી હતી. અમદાવાદના આવા ઘણા વિસ્તારમાં સમસ્યાઓનો સામનો પ્રજા કરી રહી છે તંત્રની બેદરકારીના કારણે પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે
