મધ્ય પ્રદેશના ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચે રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. ૩૧ માર્ચ સુધી આ ત્રણ શહેરોમાં સ્કૂલ-કોલેજો પણ બંધ રહેશે. આ નિર્ણય ગઇ કાલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા બોલાવાયેલી બેઠકમાં લેવાયો.
મુખ્યમંત્રીએ બેઠક પછી કહ્યું કે, રાજયમાં કોરોના સંક્રમણ સતત ગંભીર થઈ રહ્યું છે અને ફરી એકવખત સંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકાર સંક્રમણને રોકવામાં કોઈ કચાશ રાખશે નહીં. સીએમએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ પણ કરી છે.
