અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આ તમામ સુપર સ્પ્રેડરનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે ત્યારે અર્જુન મોઢવાડિયાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
સુપર સ્પ્રેડરને લઇ અર્જૂન મોઢવાડિયાના સરકારને સવાલ પૂછ્યો હતો. અમદાવાદમાં કોરોના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં કોણ? બેસ્ટ સુપર સ્પ્રેડરનો એવોર્ડ તો BJP ગુજરાતના મુખિયા લઇ જશે. રૂપાણીજી જનતા તમારી પાસેથી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખે છે. આ અંગે તેમણે ટ્વીટ કરી હતી.
અમદાવાદ સમયના મત પ્રમાણે આમતો સુપર સ્પ્રેડર તરીકે ભાજપ એકલુંજ નહિ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ જેવો એ કોરોના કાળમાં પણ ચૂંટણી લડવાના લાલચમાં કોરોના માં ચૂંટણી ન યોજવી જોઈએ એવો વિરોધ નઉઠાવ્યો એ પણ જવાબદાર છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ એક બીજા પર આક્ષેપો લગાવવાથી કોઈ ફરક ન પડે ચૂંટણી લડેલા તમામ નેતાઓ તો ચૂપ્પી સાધે તોજ સારું છે નહીં તો આમ જનતા સવાલ પૂછશે તો મોઢું છુપાવું પડશે
