અમદાવાદના જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે આવેલી બોસ્તાન સોસાયટીના મકાનમાં તસ્કરોએ સાંજના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં તિજોરીને તોડીને અંદર રહેલા સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરી.
સાંજના સમયે જ્યારે ઘરના સભ્ય ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારે તેમણે ઘરના હાલને જોતા તેમણે તિજોરી ચેક કરતા તેમને ખ્યાલ આવ્યું હતું કે ઘરમાંથી સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ છે.તેથી તેમણે આ મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
