અમદાવાદમાં સતત વધતાં કહેરના કારણે માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે વધુ 35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી 318 વિસ્તાર માઈક્રોકન્ટેઇનમેન્ટમાં છે.
શહેરના પશ્વિમ વિસ્તારમાં ગોતા,થલતેજ, નવરંગપુરા, ઘાટલોડિયામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ વિસ્તારના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી રહી છે અને તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ શરૂ થાય તે પહેલા જ લોકોની લાઈનો જોવા મળી રહી છે
