August 7, 2026
ગુજરાતઅપરાધ

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં આવતા રેમડેસીવીર ઈન્જેક્શનની ભારે અછત છે અને સરકાર પણ તમામ દર્દીઓને ઇન્જેકશન પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. બીજી બાજુ અમુક તત્વો ઇન્જેક્શન અને ઓક્સિજનની કાળા બજાર કરી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા સોશિયલ મિડિયામાં રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂર હોય તો બજાર કરતા ઉંચા ભાવે મલશે તેવો એક મેસેજ ફરતો થયો હોવાથી સાઈબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી.

ત્યારે એક યુવક ફેસબુક પર ફેક આઈડી બનાવીને ફેસબુક માધ્યમ દ્વારા ઈન્જેક્શનનું વેચાણ બાબતે વાતચીત કરતો હોવાનું જાણવા મળતા સાઈબર ક્રાઈમની ટીમે એક બનાવટી ગ્રાહક ઉભો કરી ફેસબુક પર મેસેજ કરી નંબર મેળવીને ફોન પર રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂર છે તેવી વાત કરતા સામે પક્ષે રૂ.26 હજારમાં ઈન્જેક્શન મળી આવશે તેવી વાત કરી હતી.

ત્યારબાદ ઈન્જેક્શન મેળવવા માટે ઈસનપુર ચાર રસ્તા પાસે આવેલ મોનિ હોટલ ખાતે બોલાવેલ હોવાથી સાઈબર ક્રાઈમની ટીમે તે જગ્યાએ વોચ ગોઢવી હતી અને રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી કરનાર સન્ની વાઘેલાની ધરપકડ કરી હતી.

બાદમાં પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે, આર્થીક ફાયદા માટે તથા વધુ પૈસાની લાલચના કારણે રેમડેસીવીર ઈન્જેક્શન તેના મિત્ર સંજય પંચાલ પાસેથી મેળવીને બજાર કરતા ઉંચા ભાવે વેચતો હતો. સન્ની વાઘેલાએ કેટલા લોકોને ઇન્જેક્શન આપ્યા અને કેટલામાં આપ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે જોકે હજુ સુધી સાઇબર ક્રાઇમને કોઈ કડી મળી નથી.

Related posts

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

અમદાવાદીઓ દિવાળીમાં રાત્રે ૦૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

Ahmedabad Samay

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

નવા ગાઈડલાઈન પ્રમાણે ૧૦૦ જેટલા દર્દી ને રજા અપાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો