May 9, 2026
ગુજરાતરાજકારણ

૧૦,૦૦૦ ઓછી આવક વાળા શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અસંગઠિત ક્ષેત્ર -અનઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકો ની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ  ઇ – નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ ગાંધીનગરમાંથી કર્યું છે.

રાજયના શ્રમ રોજગાર વિભાગ દ્વારા ૨૦૧૫ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી યુ વિન કાર્ડ આપવાની યોજના માં ૯.૨૦ લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ આવા શ્રમયોગીઓના શ્રમનો -પરિશ્રમનો મહિમા કરતાં અને રાજયની અવિરત વિકાસ યાત્રામાં આવા અદના માનવીઓ ના યોગદાન  પ્રત્યેની સંવેદનશીલતારૂપે આ નવતર પહેલ ગુજરાતમાં કરવા માટે શ્રમ રોજગાર વિભાગને પ્રેરિત કરેલો છે

શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેવી  શ્રમયોગી કલ્યાણ સંવેદના દર્શાવીને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ  હવે ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવી ને ઓનલાઇન અને  પોર્ટલ પર  તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા  આવા અસંગઠિત શ્રમિકો ની નોંધણી સરળ બનાવી છે

અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર,રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે

Related posts

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

Ahmedabad Samay

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

યોગી હે તો મુમકીન હે, ફૈઝાબાદ હવે અયોધ્યા નામે ઓળખાશે

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો