May 9, 2026
અપરાધ

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

New up 01

અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશન માં  પોલીસ કર્મચારીઓ દ્વારા મુકેશ કુમાર યાદવ નામના વ્યક્તિ સાથે અમાનુષી અત્યાચાર કરી કોઈ પણ ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું હતું.

મુકેશકુમાર યાદવ  સગાને જામીન આપવા માટે રાત્રે નિકોલ પોલીસ સ્ટેશને પહોંચતા ત્યાં ફરજ ઉપર હાજર  પોલીસ કર્મચારી ઓન ડ્યુટી દારૂના નશા માં ચૂર હોઈ મુકેશ કુમાર યાદવને બીભત્સ ગાળો બોલી એના વૃદ્ધ પિતાને ત્રણ વાર લાફા મારી મુકેશ કુમાર યાદવ ને દોરડા થી બાંધી સાત થી આઠ પોલીસે મળીને લાકડી , બેલ્ટ જે હાથમાં આવ્યું તે તે લઈ એક આતંકવાદી ની જેમ તૂટી પડ્યા હતા અને ખૂબજ અમાનુષી રીતે માર મારી ઘાયલ કરેલ છે .

પોલીસ કાયદા ની રક્ષક હોવા છતાંય ઉપરોક્ત વ્યક્તિ ની લાગણી દુભાય એ રીતે પ્રાંતવાદી શબ્દો કહી અપમાનિત કરી બીભત્સ ગાળ બોલી પોલીસે ગુન્હો આચરેલ છે.

જે અંતર્ગત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા નિવેદન કરતા જણાવ્યું હતું કે.“સાહેબને નમ્ર નિવેદન છે કે ઉપરોક્ત કેસ માં કાયદાકીય પગલાં લઈ યોગ્ય તપાસ કરી ગુન્હા માં સામેલ પોલીસવાળાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માં આવે . તેમજ આ ગુન્હા માં સામેલ તમામ પોલીસવાળાઓ ની અન્યત્ર બદલી કરી યોગ્ય તપાસ કરવા માં આવે . ઉપરોક્ત બનાવમાં નિકોલ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ની ભૂમિકા ખૂબજ નિષ્ક્રિય અને નીરસ હોઈ એમની પણ અન્યત્ર બદલી કરી ન્યાય અપાવવા મહેરબાની કરશોજી”

Related posts

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

અમદાવાદ: બગોદરાની હોટેલમાં રોકાયેલા મુંબઈના પરિવારના 4 મોબાઇલ, રોકડ મળી રૂ.37,500ની મતા ચોરાઈ

Ahmedabad Samay

અમદાવાદ – અકસ્માતમાં 9ના મોત મામલે સપ્તાહમાં ચાર્જસીટ કરાશે, ફાસ્ટ્રેક કેસ ચલાવાશે, તથ્ય ઉપરાંત તેના પિતા સામે પણ કેસ કરાશે – ગૃહમંત્રી

Ahmedabad Samay

અમદાવાદ: સીજી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, વળાંક લેતા એકબીજાને અથડાઈ, એકને ગંભીર ઇજા, અન્ય એક કારચાલક ફરાર

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો