May 9, 2026
અપરાધ

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

New up 01

અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશન માં  પોલીસ કર્મચારીઓ દ્વારા મુકેશ કુમાર યાદવ નામના વ્યક્તિ સાથે અમાનુષી અત્યાચાર કરી કોઈ પણ ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું હતું.

મુકેશકુમાર યાદવ  સગાને જામીન આપવા માટે રાત્રે નિકોલ પોલીસ સ્ટેશને પહોંચતા ત્યાં ફરજ ઉપર હાજર  પોલીસ કર્મચારી ઓન ડ્યુટી દારૂના નશા માં ચૂર હોઈ મુકેશ કુમાર યાદવને બીભત્સ ગાળો બોલી એના વૃદ્ધ પિતાને ત્રણ વાર લાફા મારી મુકેશ કુમાર યાદવ ને દોરડા થી બાંધી સાત થી આઠ પોલીસે મળીને લાકડી , બેલ્ટ જે હાથમાં આવ્યું તે તે લઈ એક આતંકવાદી ની જેમ તૂટી પડ્યા હતા અને ખૂબજ અમાનુષી રીતે માર મારી ઘાયલ કરેલ છે .

પોલીસ કાયદા ની રક્ષક હોવા છતાંય ઉપરોક્ત વ્યક્તિ ની લાગણી દુભાય એ રીતે પ્રાંતવાદી શબ્દો કહી અપમાનિત કરી બીભત્સ ગાળ બોલી પોલીસે ગુન્હો આચરેલ છે.

જે અંતર્ગત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા નિવેદન કરતા જણાવ્યું હતું કે.“સાહેબને નમ્ર નિવેદન છે કે ઉપરોક્ત કેસ માં કાયદાકીય પગલાં લઈ યોગ્ય તપાસ કરી ગુન્હા માં સામેલ પોલીસવાળાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માં આવે . તેમજ આ ગુન્હા માં સામેલ તમામ પોલીસવાળાઓ ની અન્યત્ર બદલી કરી યોગ્ય તપાસ કરવા માં આવે . ઉપરોક્ત બનાવમાં નિકોલ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ની ભૂમિકા ખૂબજ નિષ્ક્રિય અને નીરસ હોઈ એમની પણ અન્યત્ર બદલી કરી ન્યાય અપાવવા મહેરબાની કરશોજી”

Related posts

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

Ahmedabad Samay

વલસાડ જીલ્લાના પ્રોહીબિશનના કુલ -7ગુનાઓમાં નાસતા ફરતા 4 આરોપીઓને વલસાડ જીલ્લા LCB એ દબોચી લીધા

Ahmedabad Samay

હત્યાનો બદલો હત્યા! અતીક અહેમદ અને ઉમેશ પાલની હત્યાની સ્ક્રિપ્ટ કેમ એક સરખી જ લાગે છે?

admin

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો