August 7, 2026
ગુજરાત

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

વસ્તુઓના ભાવોમાં થયેલા વધારા સામે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના નેજા હેઠળ  આશ્રમ રોડ પર પ્લે કાર્ડ અને બેનર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પેટ્રોલમાં લીટરે એકસાઇઝ ડયૂટીના લેવામાં આવતાં 33.89 રૂપિયા ઘટાડવા માટે દેશના વડાપ્રધાનને એક લાખ ગ્રાહકોની સહીઓ સાથેનું મેમોરેન્ડમ મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ સુચિત્રા પાલ તથા ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આગેવાની હેઠળ   આશ્રમ રોડ પર સરઘસના સ્વરૂપમાં રેલી કાઢી મોંઘવારી સામે સૂત્રોચ્ચાર પોકારીને વાતાવરણ ગજવી મૂકવામાં આવ્યું હતું.

રૂપિયા 30ની કોસ્ટ પ્રાઇઝનું પેટ્રોલ-ડિઝલ ગ્રાહકોને રૂપિયા 100 કે તેથી વધારે ભાવે વેચાણ કરવામાં આવે છે. તે જ રીતે ડિઝલમાં પણ બેફામ એકસાઇઝ ડયૂટી અને સરકારી સેસ અને વેટ વસૂલ કરવામાં આવે છે. સરકારનો આર્થિક આંતકવાદ નાબૂદ કરાવવા માટે રાષ્ટ્રીય ગ્રાહક જાગુત્તિ અભિયાન ચલાવવામાં આવશે. તે જ રીતે રસોઇ ગેસના બાટલાની સબસીડી સરકારે ચુપચાપ બંધ કરી દીધી છે.

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવવધારો કરોડો મહિલા ગ્રાહકો માટે આઘાતજનક અને પીડાદાયક છે. ગ્રાહક સુરક્ષાના માધ્યમથી બિનજરૂરી ભાવવધારો, મોંઘવારી, નફાખોરી સામે સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્ર આપી ચેતવણી આપવામાં આવશે અને દેશના વડાપ્રધાનને ભાવવધારો ઘટાડવા માટે એક લાખ લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે. તેમણે વધુમાં એવી પણ માંગણી કરી હતી કે, પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના જસ્ટિસની આગેવાની હેઠળ ભાવ નિર્ધારણ પંચની રચના કરવી જોઇએ.

New up 01

Related posts

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો