August 8, 2026
ગુજરાત

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા અગાઉ ખલાસીઓ સહિત 139 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સંતોએ લોકોને ઘરે રહી માધ્યમો દ્વારા રથયાત્રાનાં દર્શન કરવા અપીલ કરી છે.

એક રથને 40 ખલાસીઓ ખેચશે. કુલ 120 ખલાસીભાઇઓ ભગવાનને નગરચર્યા કરાવશે. 20-20 ખલાસીઓ નિજ મંદિરથી રથ ખેચશે જ્યારે અન્ય 20-20 ખલાસીઓ મામાના ઘર સરસપુરથી જોડાશે.

રથયાત્રાને પગલે આ ખલાસીભાઈઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ખલાસીઓ ભગવાનના રથ ખેંચવા આતુર છે. આ ખલાસીઓની ઉંમર લગભગ 22થી 50 વર્ષની છે. કોઈ ખલાસીઓ 10 વર્ષથી તો કોઈ ખલાસીઓ 25-30 વર્ષથી ભગવાનના રથ ખેંચે છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે પણ ખલાસીઓમાં ભગવાનના રથ ખેંચવાનો એટલો જ ઉત્સાહ જોવા મળે છે.”

Related posts

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

સારહિ યુથ કલબ દ્વારા યોજાયેલ કોરોના રસીકરણના મેગા કંપની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી

Ahmedabad Samay

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો