અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા મામલતદાર શ્રીને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેનો દરજજો આપવા વિનંતી કરવામાં આવી હતી.
આ અંગે વધુ માં જણાવ્યું હતું કે “છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવાંમાં આવે તે બાબતે ઘણી જગ્યાએ ઉગ્ર માગ ઉઠી રહી છે ત્યારે ગુજરાત સરકાર શ્રી તથા કેન્દ્ર સરકાર શ્રી ને વિનંતી છે કે,
જો ભાવનગરૅના સ્વ કૃષ્ણ કુમાર સિંહજી બ્રાઝિલ એક નંદી ભેટ આપે અને બ્રાઝિલની ઇંકોનોમિક બદલી જતી હોય તો આપણો દેશ ગૌમાતા થી ઘણો બધો આર્થિક આરોગ્ય વગેરેમાં સમૃદ્ધ બની શકે છે અને એટલે જ પ્રાચીનકાળથી ગૌ માતાને માતા કહેવામાં આવે છે.
ગૌમાતાને રાષ્ટ્રમાં માતા ને દરજ્જો આપવામાં આવે સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગોહત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે ગોચર જમીન ઉપર ગેરકાનૂની દબાણ દૂર કરવામાં આવે સમગ્ર રાજ્ય તથા ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સૌથી વધુ લાભ પહોચડવા માં આવે,
તેમજ રસ્તે રખડતા ગૌવંશના કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવે માટે સરકાર શ્રી અમારી ઉપર મુજબ ની માગો વહેલી તકે પૂરી કરે એવી અરજ છે નહિતર લોક મત મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની સરકારશ્રીએ નોંધ લેવા વિનંતી.”

