March 24, 2026
ગુજરાતબિઝનેસ

અમૂલ સાથે ઓછા પૈસામાં બિઝનેસ કરવાની સુવર્ણ તક

શુ આપ નવો વેપાર કરવા વિચારી રહ્યા છો ? તો અમૂલ સાથે બિઝનેસ કરવાની તમને સુવર્ણ તક આવી છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને બંપર કમાણી થઈ શકે છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. તેમાં કોઈ ઝંઝટ પણ નથી.

રોયલ્ટી વગર અને પ્રોફિટ શેરિંગ વગર મળશે અમુલ ફ્રેન્ચાઈઝી  કોઈ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વગર ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહ્યા છે. એટલું જ નહીં અમૂલની ફ્રેન્ચાઈઝી લેવાનો ખર્ચો બહુ ખાસ નથી. તમે 2 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયાનો ખર્ચો કરીને અમૂલ સાથે વેપાર શરૂ કરી શકો છો. કારોબારની શરૂઆતમાં જ સારો એવો પ્રોફિટ મળી શકે છે.

કેટલું થશે રોકાણ?
Amul બે પ્રકારની ફ્રેન્ચાઈઝી  ઓફર કરે છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર કે અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હોવ તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ પર 75 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે. તેની વધુ જાણકારી તમને ફ્રેન્ચાઈઝીના પેજ પર મળી જશે.

અન્ય ફ્રેન્ચાઈઝીમાં 6 લાખનું રોકાણ
જો તમે અમૂલ આઈસ્ક્રિમ પાર્લર ચલાવવા માંગતા હોવ તો તેની ફ્રેન્ચાઈઝી માટે થોડું રોકાણ વધુ જરૂર પડે છે. આ માટે તમારે લગભગ 5-6 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેમાં બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 50 હજાર રૂપિયા, રિનોવેશન માટે 4 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ માટે 1.50 લાખ રૂપિયા સામેલ છે.

કેટલી થશે કમાણી?
અમૂલના જણાવ્યાં મુજબ ફ્રેન્ચાઈઝી દ્વારા મહિને લગભગ 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. જો કે તે જગ્યા પર નિર્ભર કરે છે. અમૂલ આઉટલેટ લેવા પર  કંપની અમૂલ પ્રોડક્ટ્સના મિનિમમ સેલિંગ પ્રાઈઝ  (MRP) પર કમિશન આપે છે. જેમાં એક મિલ્ક પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસક્રિમ પર 20 ટકા કમિશન મળે છે.

Related posts

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી,બે દિવસમાં જ વધારાની ફી પરત આપવા DEOનો આદેશ

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો