આગામી ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ એટલે કે લોઅર પ્રાઈમરીના વર્ગો શરૂ થવાની કોઈ શકયતાઓ જોવા મળતી નથી. નાના બાળકોની રસી હજી ઉપલબ્ધ નથી. વળી બાળકોને મુદ્દે હજી વાલીઓ ચિંતિત છે. વાલીઓ હાલના તબકકે બાળકોને શાળાએ મોકલવા તૈયાર થાય કે કેમ ? તે પણ આશંકા છે. આ સંજોગોમાં શિક્ષણ વિભાગે હાલ લોઅર પ્રાઈમરી શરૂ કરવાનુ વિચારવું ન જોઈએ તેવો મત વાલીઓ અને શિક્ષકોમાં પ્રવર્તિ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એક તબક્કે લોઅર પ્રાઈમરી એટલે કે ધોરણ ૧ થી પના વર્ગો શરૂ કરી દેવાની દિશામાં રાજય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક તબક્કે વિચારણા પણ શરૂ કરી દીધી હોવાનું કેળવણી જગતના સુત્રોનુ કહેવું છે. પરંતુ શિક્ષક આલમ અને વાલી વર્ગમાંથી આ મુદ્દે વિરોધનો સૂર રેલાતાં આખરે શિક્ષણ વિભાગે લોર પ્રાઈમરીના વર્ગો શરૂ કરવાનુ હાલના તબકકે માંડી વાળ્યું હોય તેમ બને.
બીજી બાજૂ કોઈપણ રોગની અસર નાના બાળકોને વહેલી તકે થતી હોય છે. બાળકોમાં જો વાયરલ ફેલાય તો તેને નિયંત્રીત કરવું પણ ઘણું મૂશ્કલ થાય તેમ પણ બને. આ સંજોગોમાં સરકારે હાલ લોઅર પ્રાઈમરીના વર્ગો શરૂ કરવાનુ જોખમ ને લેવું એ જ શ્રેયકર છે.
