August 12, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં હસમુખભાઈ ભરવાડ મજુરી કામ કરી ગુજરાત ચલાવે છે. હસમુખભાઈ તેમજ તેમની માતા ઘરે બેઠા હતા. તે સમયે તેમના પાડોશમાં રહેતા લલીલ નામના વ્યક્તિ કે જેની પાસે પોલતુ કૂતરો છે, તે અવાર-નવાર ઘરની બહાર નીકળી જતુ અને પરિવારને હેરાન કરતું હતું. જેથી હસમુખભાઈએ લલીતને કુતરાને સાચવવા માટે કહેતા લલીલ ઉશ્કેરાઈ ગયો હતો.

જો કે, રોષે ભરાયેલા લલીતે હસમુખભાને ગાળો બોલી હતી. ત્યારબાદ તેણે ઘરમાંથી લોખંડની પાઈપ લઈને હસમુખભાઈના માથા પર મારી દીધી હતી. ત્યારબાદ તેમના ડાભા હાથે પણ પાઈપથી બે-ત્રણ ફટકા માર્યા હતા. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા.

હસમુખભાઈ ઈજાગ્રસ્ત હોવા છતા લલીતે તેમને ફેટો પણ મારી હતી. અંતે તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા.મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા

Ahmedabad Samay

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

ક્રાઈમ બ્રાન્ચ રવિ પુજારીની કસ્ટડી મેળવી અમદાવાદ લાવશે

Ahmedabad Samay

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 25 વર્ષીય યુવતીએ 12મા માળેથી મોતની છલાંગ લગાવી, કારણ અકબંધ

Ahmedabad Samay

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “રાજા શિવાજી” મરાઠી ફિલ્મ ના સામૂહિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો