June 27, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં હસમુખભાઈ ભરવાડ મજુરી કામ કરી ગુજરાત ચલાવે છે. હસમુખભાઈ તેમજ તેમની માતા ઘરે બેઠા હતા. તે સમયે તેમના પાડોશમાં રહેતા લલીલ નામના વ્યક્તિ કે જેની પાસે પોલતુ કૂતરો છે, તે અવાર-નવાર ઘરની બહાર નીકળી જતુ અને પરિવારને હેરાન કરતું હતું. જેથી હસમુખભાઈએ લલીતને કુતરાને સાચવવા માટે કહેતા લલીલ ઉશ્કેરાઈ ગયો હતો.

જો કે, રોષે ભરાયેલા લલીતે હસમુખભાને ગાળો બોલી હતી. ત્યારબાદ તેણે ઘરમાંથી લોખંડની પાઈપ લઈને હસમુખભાઈના માથા પર મારી દીધી હતી. ત્યારબાદ તેમના ડાભા હાથે પણ પાઈપથી બે-ત્રણ ફટકા માર્યા હતા. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા.

હસમુખભાઈ ઈજાગ્રસ્ત હોવા છતા લલીતે તેમને ફેટો પણ મારી હતી. અંતે તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા.મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો