સરકારે જે રીતે ઈંડાની અને અન્ય નોનવેજની લારીઓ બંધ કરવા એક્શન મોડ છે જો તેવીજ કવાયત દારૂ બંધી માટે હાથ ધરી હોત તો આજે આપણા ગુજરાતમાં ઘણા પરિવાર બરબાદ થવાથી બચી ગયા હોત,
દારૂના અડ્ડા વાળાના ત્યાંથી બધાને હપ્તો મળતો હોવાથી બધા ગુંગા બહેરા બની જાય છે અને બિચારા રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા હોય છે જો એમની લારીઓ બંધ કરવામાં આવશે તો એ લોકો શુ કરશે ?
દારૂના અડ્ડા વાળા તો રોજના બે ત્રણ લાખ ના હપ્તા આપતા હોય છે માટે ત્યાં પોલીસ વાળા કે આટલા બધા સંગઠનો જતા નથી દારૂ બંધી માટે કડકમાં કડક કાયદા કાનૂન હોવા છતા દેશી દારૂના અડ્ડા બંધ થતા નથી ઉપરથી નવા ને નવા અડ્ડાઓ શરૂ થઇ જાયછે છતાંય કોઈ માયકા લાલની કે સરકારી બાબુની તાકાત નથી થતી
હમણાં જે રીતે સરકારી બાબુઓ બિચારા મજૂરી કરી ગુજરાન ચલાવે છે તે લારીઓ બંધ કરવા મોટા મોટા સરકારી બાબુઓ મેદાનમાં ઉતર્યા છે જો એટલીજ હિંમત દારૂના અડ્ડા બંધ કરવા માટે બતાવી હોત તો આજે કેટલાય ઘરના ઉજડવાથી રહી ગયા હોત.
સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવો જોઈએ અને જો સરકારે કરવું હોયતો પહેલા દેશી દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ પછી ઇંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવી જોઈએ
