અમદાવાદ શહેર ગુજરાતી શાળા નં. ૧ નરોડા રોડ, ના પરિસરમાં માનવ સેવા ફાઉન્ડેશન, ઉક્તર્ષ મહિલા સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે તેમજ CSC તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી શાંખલા સાહેબ તથા સ્ટાફના સહયોગ થી દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, શહેર કોટડા પોલિસ સ્ટેશન ના પી.આઈ શ્રી પી.કે. શાંખલા સાહેબ, પાયલ કોમ્પ્યુટરના ધર્મવિરસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લાભાર્થી ઓ એ પી.આઈ શ્રી શાંખલા સાહેબ ના હસ્તે ઈ-શ્રમ કાર્ડ મેળવી આ સેમિનારનો લાભ મેળવ્યો

