February 5, 2026
ગુજરાત

1 ફેબ્રુઆરીથી બેન્કિંગને લગતા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોમાં ત્રણ મહત્વના ફેરફાર આ પ્રમાણે છે

1 ફેબ્રુઆરીએ બજેટ આવી રહ્યું છે અને તે દિવસથી બેંકો સાથે જોડાયેલી ઘણી બાબતો બદલાઈ રહી છે. બેંકોના નિયમોને નવા બજેટ સાથે કોઈ લેવાદેવા નથી પણ આ નવા નિયમો 1 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોમાં ત્રણ મહત્વના ફેરફાર છે સ્ટેટ બેંક (SBI), બેંક ઓફ બરોડા(BOB) અને પંજાબ નેશનલ બેંક(PNB) ના ગ્રાહક માટે આ સમાચાર મહત્વના છે.

SBIના જૂના સ્લેબમાં રૂ.1000 સુધીના મની ટ્રાન્સફર માટે કોઈ ચાર્જ નથી. તે મફતમાં ચાલુ રહેશે. રૂ.1000 થી રૂ.10000 સુધીના IMPS પર રૂ. 2 વત્તા GST વસૂલવામાં આવે છે. રૂ.10000 થી રૂ.100000 સુધીની IMPS પર વ્યક્તિએ રૂ.4 વત્તા GST ચૂકવવો પડે છે. રૂ.100000 થી રૂ.2000000 સુધીના IMPS પર 12000 ઉપરાંત GST ચૂકવવો પડશે. સ્ટેટ બેંકે તેના માટે નવો સ્લેબ ઉમેર્યો છે જે રૂ. 200,000 થી રૂ. 500,000નો છે. આ રકમ IMPS પર રૂ. 20 ઉપરાંત GST ચૂકવવા પડશે. નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે
આ નિયમ ચેક પેમેન્ટ સાથે સંબંધિત છે. બેંક ઓફ બરોડા 1 ફેબ્રુઆરીથી તેના ગ્રાહકો માટે Positive Pay System શરૂ કરવા જઈ રહી છે. નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિએ ચેક આપવો હોય તો તે પહેલા ચેક સાથે જોડાયેલી કેટલીક જરૂરી માહિતી બેંકમાં આપવી પડશે. આનાથી બેંક ઓફ બરોડાને વધુ કિંમતો માટે ચેક પાસ કરવામાં સરળતા રહેશે અને બેંકે ગ્રાહકને પુનઃ કન્ફર્મેશન માટે કૉલ કરવો પડશે નહીં.

રૂ. 10 લાખ અથવા તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત રહેશે. અન્યથા તે ચૂકવણી વિના ઇન્ટરસોલને પરત કરવામાં આવશે. ચેક કન્ફર્મેશન માટે ગ્રાહકે 6 આવશ્યક માહિતી પ્રદાન કરવી પડશે. તેમાં ચૂકવણી કરનારનું નામ, ચેકની રકમ, એકાઉન્ટ નંબર, ચેક નંબર, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેકની તારીખ જણાવવી આવશ્યક છે. એકવાર રજિસ્ટર્ડ કન્ફર્મેશન પછી તમે તેને ન તો સુધારી શકો છો કે ન તો ડીલીટ શકો છો.

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો તો આ માહિતી જાણવી જરૂરી છે. જો તમારા ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોય તો જ PNB કાર્ડ પર હપ્તા પડાવો. જો ખાતામાં રકમ ન હોય અને હપ્તો લેવામાં આવે તો બેંક રૂ. 250 નો દંડ વસૂલશે. આ નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને 1 ફેબ્રુઆરીથી બેન્કિંગ સેવાઓનો લાભ લેવો જોઈએ. એવું ન થાય કે સેવાનો લાભ લેવાના ચક્કરમાં તમને નુકસાન થાય.

Related posts

અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્‍ટેટના ધંધાર્થીને ફાયરિંગ કરી ડરાવીને ૦૫ લાખની ખંડણી માંગતો વીડિયો વાયરલ

Ahmedabad Samay

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કહેર વધતા કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે

Ahmedabad Samay

હરિઓમ વિદ્યાલય ખોખરા મણિનગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો