February 5, 2026
ગુજરાત

1 ફેબ્રુઆરીથી બેન્કિંગને લગતા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોમાં ત્રણ મહત્વના ફેરફાર આ પ્રમાણે છે

1 ફેબ્રુઆરીએ બજેટ આવી રહ્યું છે અને તે દિવસથી બેંકો સાથે જોડાયેલી ઘણી બાબતો બદલાઈ રહી છે. બેંકોના નિયમોને નવા બજેટ સાથે કોઈ લેવાદેવા નથી પણ આ નવા નિયમો 1 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોમાં ત્રણ મહત્વના ફેરફાર છે સ્ટેટ બેંક (SBI), બેંક ઓફ બરોડા(BOB) અને પંજાબ નેશનલ બેંક(PNB) ના ગ્રાહક માટે આ સમાચાર મહત્વના છે.

SBIના જૂના સ્લેબમાં રૂ.1000 સુધીના મની ટ્રાન્સફર માટે કોઈ ચાર્જ નથી. તે મફતમાં ચાલુ રહેશે. રૂ.1000 થી રૂ.10000 સુધીના IMPS પર રૂ. 2 વત્તા GST વસૂલવામાં આવે છે. રૂ.10000 થી રૂ.100000 સુધીની IMPS પર વ્યક્તિએ રૂ.4 વત્તા GST ચૂકવવો પડે છે. રૂ.100000 થી રૂ.2000000 સુધીના IMPS પર 12000 ઉપરાંત GST ચૂકવવો પડશે. સ્ટેટ બેંકે તેના માટે નવો સ્લેબ ઉમેર્યો છે જે રૂ. 200,000 થી રૂ. 500,000નો છે. આ રકમ IMPS પર રૂ. 20 ઉપરાંત GST ચૂકવવા પડશે. નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે
આ નિયમ ચેક પેમેન્ટ સાથે સંબંધિત છે. બેંક ઓફ બરોડા 1 ફેબ્રુઆરીથી તેના ગ્રાહકો માટે Positive Pay System શરૂ કરવા જઈ રહી છે. નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિએ ચેક આપવો હોય તો તે પહેલા ચેક સાથે જોડાયેલી કેટલીક જરૂરી માહિતી બેંકમાં આપવી પડશે. આનાથી બેંક ઓફ બરોડાને વધુ કિંમતો માટે ચેક પાસ કરવામાં સરળતા રહેશે અને બેંકે ગ્રાહકને પુનઃ કન્ફર્મેશન માટે કૉલ કરવો પડશે નહીં.

રૂ. 10 લાખ અથવા તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત રહેશે. અન્યથા તે ચૂકવણી વિના ઇન્ટરસોલને પરત કરવામાં આવશે. ચેક કન્ફર્મેશન માટે ગ્રાહકે 6 આવશ્યક માહિતી પ્રદાન કરવી પડશે. તેમાં ચૂકવણી કરનારનું નામ, ચેકની રકમ, એકાઉન્ટ નંબર, ચેક નંબર, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેકની તારીખ જણાવવી આવશ્યક છે. એકવાર રજિસ્ટર્ડ કન્ફર્મેશન પછી તમે તેને ન તો સુધારી શકો છો કે ન તો ડીલીટ શકો છો.

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો તો આ માહિતી જાણવી જરૂરી છે. જો તમારા ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોય તો જ PNB કાર્ડ પર હપ્તા પડાવો. જો ખાતામાં રકમ ન હોય અને હપ્તો લેવામાં આવે તો બેંક રૂ. 250 નો દંડ વસૂલશે. આ નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને 1 ફેબ્રુઆરીથી બેન્કિંગ સેવાઓનો લાભ લેવો જોઈએ. એવું ન થાય કે સેવાનો લાભ લેવાના ચક્કરમાં તમને નુકસાન થાય.

Related posts

NEWS UPDATE

Ahmedabad Samay

હવે સારવાર નાની હોય કે મોટી, આરોગ્‍ય વીમો તમને મદદ કરશે. જો તમને ફક્‍ત ૨ કલાક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તમને હક દાવો મળશે

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો