March 25, 2026
Other

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

અમદાવાદના ધંધુકામાં પરિવારની સાથે રહેતા કિશન ભરવાડ નામના યુવકની હત્યા વિધર્મી દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે. આ ઘટના બાદ રાધનપુરના શેરગઢ ગામમાં એક વિધર્મી યુવક દ્વારા યુવતીની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસીને યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ચૌધરી સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. તેથી રાધનપુરમાં ચૌધરી સમાજના લોકો, ભરવાડ સમાજના લોકો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ વિધર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.

પોલીસ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ ખૂબ જ ઝડપથી આ કેસમાં કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેવામાં આવી હતી. જેમાં તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે,મારે આ વાત કહેવી ન હતી પરંતુ ચૂંટણી માથે છે ત્યારે હિન્દુને જાગૃત કરતી પોસ્ટ જોવા મળી રહી છે એટલે હિન્દુઓને યાદ કરાવવું છે. રાજ્યમાં પ્રતિદિન બે હત્યા અને ચાર બળાત્કાર થાય છે. જેને ન્યાય મળે છે જે નહીં તેને કોઈ પૂછતું પણ નથી અને કોઈને રસ પણ નથી હોતો કારણ કે, આરોપીઓ વિધર્મી નથી હોતા. તો શું માત્ર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા અપરાધના કેસમાં જ ન્યાય મળશે?

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક સમરસતાના કાવતરાનો ભોગ ન બનતા સ્વ. કિશન ભરવાડ સાથે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે અને કાયદાના હાથ લાંબા છેઅને ન્યાયપાલિકાના દાયકાઓ ધક્કા બાદ ન્યાય મળે છે. આના કરતાં તપાસ પછી જેટલા આરોપીઓ છે તેને વિકાસ દુબેની જેમ ગાડીનો રાઉન્ડ મરાવો અને આપણા ત્યાં તો રસ્તા પર ખાડા વાળા અનુકૂળ છે એટલે ગાડી 40ની સ્પીડ પર આવતાની સાથે જ ગમે ત્યારે પલટી મારી જશે.

Related posts

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો