June 25, 2026
Other

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

અમદાવાદના ધંધુકામાં પરિવારની સાથે રહેતા કિશન ભરવાડ નામના યુવકની હત્યા વિધર્મી દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે. આ ઘટના બાદ રાધનપુરના શેરગઢ ગામમાં એક વિધર્મી યુવક દ્વારા યુવતીની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસીને યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ચૌધરી સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. તેથી રાધનપુરમાં ચૌધરી સમાજના લોકો, ભરવાડ સમાજના લોકો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ વિધર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.

પોલીસ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ ખૂબ જ ઝડપથી આ કેસમાં કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેવામાં આવી હતી. જેમાં તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે,મારે આ વાત કહેવી ન હતી પરંતુ ચૂંટણી માથે છે ત્યારે હિન્દુને જાગૃત કરતી પોસ્ટ જોવા મળી રહી છે એટલે હિન્દુઓને યાદ કરાવવું છે. રાજ્યમાં પ્રતિદિન બે હત્યા અને ચાર બળાત્કાર થાય છે. જેને ન્યાય મળે છે જે નહીં તેને કોઈ પૂછતું પણ નથી અને કોઈને રસ પણ નથી હોતો કારણ કે, આરોપીઓ વિધર્મી નથી હોતા. તો શું માત્ર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા અપરાધના કેસમાં જ ન્યાય મળશે?

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક સમરસતાના કાવતરાનો ભોગ ન બનતા સ્વ. કિશન ભરવાડ સાથે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે અને કાયદાના હાથ લાંબા છેઅને ન્યાયપાલિકાના દાયકાઓ ધક્કા બાદ ન્યાય મળે છે. આના કરતાં તપાસ પછી જેટલા આરોપીઓ છે તેને વિકાસ દુબેની જેમ ગાડીનો રાઉન્ડ મરાવો અને આપણા ત્યાં તો રસ્તા પર ખાડા વાળા અનુકૂળ છે એટલે ગાડી 40ની સ્પીડ પર આવતાની સાથે જ ગમે ત્યારે પલટી મારી જશે.

Related posts

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

અમેરિકાનુ સૈન્ય હટયા બાદ અફઘાનિસ્તાનમાં ભારે તંગદિલીનો માહોલ, અફઘાનિસ્તાનમાં કરફ્યુ લદાયો

Ahmedabad Samay

યુદ્ધના મુશ્કેલીના સમયે સંપર્ક કરવા માટે ખાસ કટોકટી હેલ્પલાઈન નંબરો અને ગાઇડલાઈન જારી કર્યા છે

Ahmedabad Samay

ભારતનો શાનદાર વિજય,ભારતે પાકિસ્તાનને ૬૧ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે સુપર-૮ રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કર્યો

Ahmedabad Samay

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો