May 10, 2026
Other

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

અમદાવાદના ધંધુકામાં પરિવારની સાથે રહેતા કિશન ભરવાડ નામના યુવકની હત્યા વિધર્મી દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે. આ ઘટના બાદ રાધનપુરના શેરગઢ ગામમાં એક વિધર્મી યુવક દ્વારા યુવતીની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસીને યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ચૌધરી સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. તેથી રાધનપુરમાં ચૌધરી સમાજના લોકો, ભરવાડ સમાજના લોકો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ વિધર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.

પોલીસ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ ખૂબ જ ઝડપથી આ કેસમાં કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેવામાં આવી હતી. જેમાં તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે,મારે આ વાત કહેવી ન હતી પરંતુ ચૂંટણી માથે છે ત્યારે હિન્દુને જાગૃત કરતી પોસ્ટ જોવા મળી રહી છે એટલે હિન્દુઓને યાદ કરાવવું છે. રાજ્યમાં પ્રતિદિન બે હત્યા અને ચાર બળાત્કાર થાય છે. જેને ન્યાય મળે છે જે નહીં તેને કોઈ પૂછતું પણ નથી અને કોઈને રસ પણ નથી હોતો કારણ કે, આરોપીઓ વિધર્મી નથી હોતા. તો શું માત્ર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા અપરાધના કેસમાં જ ન્યાય મળશે?

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક સમરસતાના કાવતરાનો ભોગ ન બનતા સ્વ. કિશન ભરવાડ સાથે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે અને કાયદાના હાથ લાંબા છેઅને ન્યાયપાલિકાના દાયકાઓ ધક્કા બાદ ન્યાય મળે છે. આના કરતાં તપાસ પછી જેટલા આરોપીઓ છે તેને વિકાસ દુબેની જેમ ગાડીનો રાઉન્ડ મરાવો અને આપણા ત્યાં તો રસ્તા પર ખાડા વાળા અનુકૂળ છે એટલે ગાડી 40ની સ્પીડ પર આવતાની સાથે જ ગમે ત્યારે પલટી મારી જશે.

Related posts

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

Ahmedabad Samay

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Ahmedabad Samay

સુરત ખાતે યોજાયેલ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમીના વિદ્યાર્થીઓએ મારી બાજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો