May 8, 2026
Other

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકડાથી ચિંતિત રાજ્ય સરકારે ગત ૨૮મીએ રાજયના ૨૯ શહેરોમાં મીની લોકડાઉન લાગુ કર્યુ હતુ જે અંતર્ગત દુકાનો, બજારો, મોલ, સિનેમાઘર, સ્વીમીંગ પૂલ, જીમ, શોપિંગ સેન્ટરો વગેરે બંધ રાખવા અને ખાનગી તથા સરકારી કચેરીઓમાં ૫૦ ટકાની હાજરીની જાહેરાત કરી હતી. હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે માત્ર પાર્સલ સેવા જ ચાલુ છે. હજુ કોરોના શાંત પડયો ન હોવાથી રાજ્ય સરકાર આ બધા નિયંત્રણો હજુ લંબાવે તેવી શકયતા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ૨૯ શહેરોમાં લાગુ રાત્રીનો કર્ફયુ પણ ચાલુ જ રહે તેવી શકયતા છે. રાત્રીના ૮ થી સવારના ૬ સુધીનો કર્ફયુ હાલ અમલી છે જેનુ કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યુ છે.

મળતા અહેવાલો મુજબ કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતની બાબતોનો નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારોને આપી હોવાથી હવે રાજ્યો પોતપોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આજે સાંજે કોર કમિટીની મીટીંગમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી છે.

Related posts

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

ગુજરાત હાઇકોર્ટ દ્રારા ચેક રીર્ટનના કેસમાં ફરિયાદીને રૂ. ૭૫૦૦૦/- ચુકવવાનો હુકમ ફરમાવેલ

Ahmedabad Samay

માર્ચમાં આ ગ્રહ બતાવશે ચમત્કાર, સોના-ચાંદીનો ભારે વરસાદ થશે; દરેક સંકટ એક ચપટીમાં દૂર થઈ જશે

Ahmedabad Samay

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો