પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરીને પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાને કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતાનો ધ્વજ લઈને હંમેશા ફરતા સમગ્ર સમૂહને આઘાત લાગ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે જો કોઈએ તે સમયે હિંમતથી કામ કર્યું હોત તો મહાત્મા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવીને દુનિયાની સામે મૂકી હોત તો અમે મેસેજિંગ કરી શકયા હોત. પહેલીવાર કોઈ વિદેશીએ ગાંધી ફિલ્મ બનાવી અને જયારે તેને ઓસ્કાર મળ્યો ત્યારે દુનિયાને ખબર પડી કે ગાંધી આટલા મહાન વ્યકિત છે.
