અર્થ સ્કુલ ઝુંડાલ કેમ્પસ માં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ૧૫ ઓવર ની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ મા અનેરો ઉત્સાહ જોવાં મળ્યો હતો.અંપાયર અને ટ્રસ્ટી શ્રી મરીન પટેલ દ્વારા ટોસ ઉછાળવા માં આવ્યો હતો.
પ્રથમ બેટિંગ મા શિક્ષકો દ્વારા કુલ ૮૨ રન સાથે ઓલ આઉટ અને વિદ્યાર્થીઓ દ્વારા ૩ વિકેટ મા જ ૮૩ રન સાથે વિદ્યાર્થીઓ વિજયી બન્યા હતા. આચાર્ય શ્રી શ્રીમતી અનીતા શર્મા અને શ્રીમતી હેતલ પટેલ દ્વારા ઉત્કૃષ્ઠ સંચાલન અને શ્રીમતી અનિતા શર્મા દ્વારા કોમેંટરી આપી મેચ રમત વીરો નો ઉત્સાહ વધાર્યો હતો.
મેચ ના અંપાયર તરીકે સ્કુલ ના ટ્રસ્ટી શ્રી મરીન પટેલ સાહેબ દ્વારા પણ આખી ટીમ ને ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન આપ્યું હતું. આવા આયોજન થી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે શ્રેષ્ઠ સંકલન અને સાંમજસ્ય ના શ્રેષ્ઠ દાખલા જોવા મળે છે.
