March 29, 2026
ગુજરાત

૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્‍સ અને ગુજકેટ બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે ૧૦ વાગ્‍યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ટ્‍વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જોઇ શકાશે.

ગુજરાતમાં કુલ ૧ લાખ ૮ હજાર વિદ્યાર્થીઓએ ૧૨ સાયન્‍સની પરીક્ષા આપી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ સાયન્‍સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે હવે માત્ર ધો.૧૨ કોમર્સના થોડા પેપર ચકાસવાના બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે ત્‍યારબાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.૧૨ સાયન્‍સ, ત્‍યારબાદ ધો.૧૦ અને છેલ્લે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. મૂલ્‍યાંકન ધો.૧૨ સાયન્‍સ અને ધો.૧૦ના પેપર ૧૧ એપ્રિલથી જયારે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહના પેપર ૧૩ એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરીમાં સૌ પ્રથમ ધોરણ ૧૨ સાયન્‍સની મૂલ્‍યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.

Related posts

ઉપલેટા શહેરમાં છ દિવસ પૂર્વે બે જૂથ વચ્ચે થયેલ ફાયરિંગમાં પિતા અને બે પુત્રની થઈ ધરપકડ

Ahmedabad Samay

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું, પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો