આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજીક કર્યો અને આવનાર સમયમાં થનાર સામાજીક સ્નેહ સંમેલન વિશે અને સમાજના અનેક વિષયો પર ટ્રસ્ટના સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રથમ મેમ્બર મિટિંગ માં મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવ્યા હતા.
મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી સંજયભાઈ દેવલેકર ને સમાજના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ દેવલેકર અને સમાજના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરને નિમણૂક કરવામાં આવ્યા હતા, ટ્રસ્ટ અને સમાજના સભ્યોએ તમામને શુભેચ્છાઓ પાઠવી અને ટ્રસ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે ત્રણેયના અધ્યક્ષતામાં સમાજના હિતેક્ષુક કાર્ય કરવામાં આવશે અને સમાજ એક નવીન દિશા તરફ આગળ વધશે અને વિકાસ કરશે.

