June 24, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં  ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં  ‘સમાનતા ફાઉન્ડેશન’ દ્વારા નોન કસ્ટોડિયલ પેરેન્ટ્સ (પિતા)’ના બાળકોને તેમના ઘરે જઈને સાન્ટા કલોઝનો કોસ્ચ્યુમ પહેરીને તથા વિવિધ કાર્ટૂન કેરેક્ટરના માસ્ક સાથે બાળકોને ગિફ્ટ, બલૂન, ટેડીબીયર, ચોકોલેટ આપવામાં આવી હતી.
તદ્દઉપરાંત ‘સમાનતા ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના અમુક  રહેણાંક વિસ્તારમાં જઈને પણ બાળકોને બલૂન, ચોકોલેટ, ગિફ્ટ આપવામાં આવી હતી. આ સિવાય ‘સમાનતા ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના અમુક સ્લમ વિસ્તાર (લખુડી તળાવ, સાબરમતી, નરોડા વગેરે) ના ગરીબ બાળકોને પણ ફૂડ પેકેટ્સ, બલૂન, ચોકોલેટ, ગિફ્ટ આપવામાં આવી હતી.

ક્રિસમસ માં નાના બાળકોના ઘરે જઈને ભેટ આપનાર હેતાળ ‘ફાધર’ એટલે “સાન્ટા કલોઝ-ફાધર નિકોલસ” (હસમુખો ચહેરો, સફેદ દાઢી, હાથમાં બેલ, ભેટનો થેલો અને લાલ કલરનો કોટ પહેરેલ વ્યક્તિ) બાળકોને ગિફ્ટ, બલૂન, ચોકોલેટ, ટેડીબીયર આપ્યા હતા,

સમાનતા ફાઉન્ડેશન – ફાધર્સ ગ્રુપ દ્વારા “સાન્ટા કલોઝ-ફાધર નિકોલસ” બનીને આ તહેવાર અમદાવાદમાં ઉજવયો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકોને સાન્ટા કલોઝ તરફથી ગિફ્ટ, ચોકલૅટ મળતાં તેઓ ખુબ જ ખુશખુશાલ થઇ ગયા હતા. આવા કાર્યક્રમથી નાના બાળકોને સાન્ટા કલોઝ-ફાધર નિકોલસ સ્ટોરી વાસ્તવિકમાં પણ બની શકે છે તેવી પ્રતીતિ કરાવી તથા ફાધર્સ ગ્રુપના સભ્યોએ પણ બાળકો સાથે આનંદનો સમય માણી એક અનહદ-આત્મીય આનંદની અનુભૂતિ કરી હતી.

Related posts

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

બ્રિટન: એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે, શાકભાજી પર લાગી લિમિટ

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

આખરે ભારતે પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનની અંદર ૯ સ્થળો પર મોટો હુમલો

Ahmedabad Samay

વિશ્વાસને તે યાદોમાંથી બહાર નીકળવું તે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં વધુ મુશ્કેલ, યાદો માંથી નીકળવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો