અમદાવાદમાં આગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે આસપાસના લોકો તેને સ્પષ્ટ રીતે બહારથી જોઇ શકતા હતા. ફાયરના જવાનોને આગ લાગવાની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આગની ઘટનામાં ઘરમાં હાજર તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. અચાનક વિકરાળ આગ ફાટી નિકળવા પાછળનું હાલ કારણ અકબંધ છે.

