March 25, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે ગતરોજ અમદાવાદમાં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલ  હુમલામા શહીદ થયેલ CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ : 14 ફેબ્રુઆરી-2023, મંગળવાર • સમય : સાંજે 7.00 થી 8.30 કલાકે • સ્થળ : ‘શહીદ અમર જ્યોત સ્મારક’, સરદાર પટેલ મ્યુઝિયમ પાસે, શાહીબાગ-ડફનાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અમારી સંસ્થાઓ દ્વારા “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક ‘કેન્ડલ માર્ચ’ સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝીઅમ થી શહીદ અમર જ્યોત સ્મારક સુધી યોજી હતી. જે કેન્ડલ માર્ચમાં યોજી ‘શહીદો અમર રહો’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’નાં નારા લગાવ્યા હતા.

બાદમાં શહિદ સ્મારક પાસે દેશ માટે બલિદાન આપનાર વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” કાર્યક્રમ અમે ‘સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત’ અને ”ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન’ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ દેશપ્રેમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

માર્ચનો પ્રથમ દિવસ પાવર કટોકટીમાં પસાર થયો, યુપીસીએલને બજારમાંથી વધુ વીજળી ખરીદવી પડી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્રણ દિવસ થી તાવ હતો

Ahmedabad Samay

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો