January 19, 2025
ગુજરાત

અમદાવાદ – ઘાટલોડીયા, વાડજ સહિતના અમદાવાદમાં બની રહેલા ત્રણ બ્રિજોનું થશે ખાતમૂહુર્ત,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 15 દિવસમાં ઘાટલોડીયા, વાડજ સહિતના અમદાવાદમાં બની રહેલા ત્રણ બ્રિજોનું થશે ખાતમૂહુર્ત કરશે. આગામી ત્રણ વર્ષમાં બ્રિજ તૈયાર કરવાની યોજના છે ત્યારે અંદાજિત 600 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આ ત્રણેય બ્રિજનું ખાતમૂહુર્ત 15 મે પહેલા કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અગાઉ બ્રિજને લઈને મંજૂર આી છે તેમાં પણ આ બ્રિજમાં બે બ્રિજ પશ્ચિમ વિસ્તારમાં તેમજ એક બ્રિજ પૂર્વ વિસ્તારમાં બની રહ્યો છે. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પાસે તેમજ નારણપુરા વિસ્તારમાં વાડજમાં એક બ્રિજ બની રહ્યો છે તો નરોડામાં પણ બ્રિજને મંજૂરી આપી દેવામાં આવી છે.

ત્યારે આગામી સયમમાં ધારાધોરણની પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ પુલ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત એવા આ માર્ગો પર મોટી સંખ્યામાં વાહનો હોવાથી બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.

નરોડા અને વાડજ ચાર રસ્તા અને સાતધાર ચાર રસ્તા પર પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણેય જંક્શન પર બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવશે. જેથી એ પહેલા ખાતમૂહુર્તની તૈયારીઓ તંત્ર તરફથી કરવામાં આવી છે.  આગામી ત્રણ વર્ષમાં આ બ્રિજ તૈયાર કરવાનું આયોજન છે. જેથી શહેરને ફરી નવા ત્રણ બ્રિજ મળશે. જેના કારણે ટ્રાફીકની મોટી સમસ્યાનું નિરાકરણ પણ આવશે.

Related posts

વિદ્યાનિકેતન સ્કૂલમાં યોજાયેલ ચેસ સ્પર્ધામાં ધ્વનિતી પ્રજાપતિ આવ્યો પ્રથમ

Ahmedabad Samay

વટવા ખાતે નારાયણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ભવ્ય કલશ યાત્રા યોજવામાં આવી

Ahmedabad Samay

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો