May 10, 2026
ગુજરાત

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ 2016થી 2020ના ચાર વર્ષ દરમિયાનના ગુજરાત રાજ્ય લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભનું તથા પુરસ્કૃત કલાકારો દ્વારા રચિત કળાકૃતિઓના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું.

           ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી  મૂળુભાઈ બેરા હસ્તે કુલ 31 કલાકારોને લલિતકલા ગૌરવ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ચિત્રકલા, છબીકલા, શિલ્પકલા (રેતશિલ્પ) ક્ષેત્રે આગવું પ્રદાન આપી ચૂકેલા કલાકારોને પુરસ્કાર રૂપે તામ્રપત્ર, રૂ. 51,000 તથા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.

           આ પ્રસંગે પ્રસંગિક ઉદબોધન આપતા મંત્રી  મૂળુભાઈ બેરાએ કહ્યું કે, સન્માનિત થયેલા તમામ કલાકારોએ ગુજરાતના કળાવારસામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કોઈ પણ કારણોસર કલાકારોને કળામાં અડચણ ઊભી ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

            મંત્રી વધુમાં જણાવ્યું કે, લલિત કલા અકાદમી પુરસ્કૃત વડીલ કલાકારો અને યુવા કલાકારો સાથે મળીને કળાના વારસાને આગળ લઈ જાય; યુવાઓ પણ વિવિધ કળાના ક્ષેત્રમાં રસ લેતા થાય તેવું વડીલોનું માર્ગદર્શન મળી રહે તથા અનોખી અને પ્રાચીન કળાને આગળ વધારવામાં તે મદદરૂપ થાય. વિવિધ કળાના ક્ષેત્રે કલાકારો ઊર્જાવાન રીતે આગળ વધે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.
           આગવી ઓળખ અને અનોખી કળાના માલિક એવા આ 31 કલાકારો વિવિધ ક્ષેત્રો જેવા કે, ચિત્રકલા છબીકલામાં ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. શિલ્પકલામાં પણ રેતશિલ્પ ક્ષેત્રે સૌપ્રથમવાર કોઈ કલાકારને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે નોંધનીય છે.
            આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અમિતભાઈ શાહ, ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ  અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારી તથા મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના કલાકારોએ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300થી વધુ કેસો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો