June 25, 2026
રાજકારણ

અમદાવાદ – 18 જૂને રોજ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે, આશ્રમથી કાર્યાલય પગપાળા જશે

18 જૂને રોજ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે આ દરમિયાન તેઓ અમદાવાદમાં ગાંધીઆશ્રમથી પગપાળા પ્રદેશ કાર્યાલય જશે અને ત્યાર બાદ પાર્ટી હાઈકમાન્ડે સોંપેલી જવાબદારી તેઓ સંભાળશે. ભાવનગરના, શક્તિસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા સાથે પણ તેમના સારા સંબંધો છે. આવી સ્થિતિમાં ગોહિલ ગુણાકારની રાજનીતિ કરીને ભાજપને ટેન્શન આપી શકે તેવી ધારણા છે.

આ દરમિયા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, હુ પક્ષનો સૈનિક છું સેનાપતિ પક્ષની જાબજદારી નક્કી કરે છે. ગુજરાતી ભલાઈ માટે અને સેવક તરીકે કામ કરીશ. તમામ નેતા અને ગુજરાતીઓનો અને કોંગ્રેસના નેતૃત્વનો આભાર માનું છું. આ પહેલા હું નાની ઉંમરમાં વિપક્ષનો નેતા હતો. કચ્છના ગુજરાતીઓએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે. ગુજરાતી અસ્મિતા માટે મેહનત કરવી છે. જૂની પરંપરા ફરી સ્થાપિત થાય તે માટે કામ કરઈશ.

ગુજરાતની ભલાઈ માટે અને સેવક તરીકે કાર્યશીલ રહીશ. ગુજરાતમાં ક્યારેય વ્યક્તિગત સ્વાર્થનું રાજકારણ નહોતું. ગુજરાતના હિતમાં તમામ લોકોને સાથ આપવા માટે વિનંતી છે. ખેડૂતોના હિતમાં તેમજ ખેડૂતોને ન્યાય આપવા માટે કામગિરી કરીશ.  કર્ણાટકની પ્રજા પાસેથી શિખવાની જરુર છે. પક્ષ એક મોટો પરીવાર છે મતભેદ હશે પરંતુ મનભેદ નથી.

કોંગ્રેસના નવા પ્રમુખ બનેલા શક્તિસિંહ ગોહિલની પહેલી મોટી કસોટી લોકસભાની ચૂંટણીમાં થશે. આવી સ્થિતિમાં જ્યારે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 17 સીટો પર પહોંચી ગઈ હતી અને લોકસભા સીટો પર પાર્ટી શૂન્ય છે, ત્યારે શક્તિસિંહ ગોહિલ સામે સૌથી મોટો પડકાર ભાજપને ક્લીન સ્વીપ કરતા અટકાવવાનો છે. જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન સુધરશે તો સમગ્ર શ્રેય શક્તિ સિંહને જશે. આ ત્યારે જ થશે જ્યારે કોંગ્રેસ તેની પરંપરાગત રીતે મજબૂત લોકસભા બેઠકો પર લીડ લઈને જીતે. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં સક્રિયતા વધારશે તેવી ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની નારાજગી બાદ રાહુલ ગાંધીએ રસ લેવાનું બંધ કરી દીધું હતું.

Related posts

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં આજે લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો

Ahmedabad Samay

પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન બન્યા, જાણો નેપાળના નવા PM વિશે તેમના જીવન વિશે

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

આંબેડકર આવાસ યોજનાના ૪૪ લાભાર્થીઓને કરાયું ચેકનું વિતરણ: ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ

Ahmedabad Samay

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો