June 21, 2026
માર્કેટ ડાઉન
બિઝનેસરાજકારણ

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 25,780 પર ચાલી રહ્યો છે. બિહાર ઈલેક્શન પર જો પરિણામો એક્ઝિટ પોલ સાથે મેળ ખાતા નથી, તો બજારનું દબાણ વધી શકે છે, કારણ કે આ રાજકીય અસ્થિરતામાં વધારો કરશે, જે બદલામાં બજારનું દબાણ વધારશે.
અમેરિકન બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે ડાઉ જોન્સ લગભગ 800 પોઈન્ટ ઘટ્યો હતો. તેમજ ટેક શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. આ ઘટાડો ફેડ દ્વારા ડિસેમ્બરમાં દર ઘટાડાની અપેક્ષાઓ ઓછી થવાને કારણે થયો છે. યુએસ બજારને પગલે, એશિયન બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી લગભગ 2% ઘટ્યો હતો, અને કોરિયાનો કોસ્પી 2% થી વધુ ઘટ્યો હતો

આ દરમિયાન, આજે બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેના કારણે ભારતીય શેરબજાર સતર્ક છે. સવારે 8 વાગ્યે નિફ્ટી લગભગ 70 પોઈન્ટ નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જે બાદ ધીરે ધીરે ચૂંટણીના પરિણામોના શરુઆતી રુજાન બાદ માર્કેટ 30 પોઈન્ટ રિકવર થયું છે. નોંધનીય છે કે બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલ પછી ભારતીય શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી છે. પરિણામે, રોકાણકારો નફાની બુકિંગનો આશરો લઈ શકે છે, જે ભારતીય શેરબજાર પર દબાણ વધારી શકે છે.

તેમજ સવારે 9થી 9.15ની વચ્ચે બિહાર ઈલેક્શન રિઝલ્ટ વચ્ચે માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, પ્રી-ઓપનમાં સેન્સેક્સ 418 પોઈન્ટ ડાઉન સાથે 84,060 પર છે ,જ્યારે નિફ્ટી 111 પોઈન્ટ ડાઉન સાથે 25,776 પર જોવા મળ્યો હતો. NDA ગઠબંધનને સરકારને 122 બેઠકો મળી ગઈ છે. અને હજી પણ કાઉન્ટ ચાલુ છે. શરૂઆતથી જ NDA ગાંઠબંધન આગળ રહ્યું હતું. ત્યારે માર્કેટ ઓપન થતા રિકવરી જોવા મળી શકે છે.

આજે ભારતીય શેરબજાર માટે બે મુખ્ય પરિબળો રમતમાં છે. જો ભારતીય બજાર યુએસ અને એશિયન બજારોની પ્રતિક્રિયામાં ખુલે છે, તો તે ઘટી શકે છે, વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડાને ધ્યાનમાં રાખીને. જોકે, જો બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો NDAની તરફેણમાં આવે છે, જેમ કે એક્ઝિટ પોલ્સ દર્શાવે છે, તો શેરબજારમાં તેજીની અપેક્ષા રાખી શકાય છે.

માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 25,780 પર ચાલી રહ્યો છે. બિહાર ઈલેક્શન પર જો પરિણામો એક્ઝિટ પોલ સાથે મેળ ખાતા નથી, તો બજારનું દબાણ વધી શકે છે, કારણ કે આ રાજકીય અસ્થિરતામાં વધારો કરશે, જે બદલામાં બજારનું દબાણ વધારશે.

Related posts

નોટબંધી પછી નોટ બદલી… બેંકોમાં 2000ની નોટ બદલવાની શરૂઆત, અહીં દૂર થશે તમારી બધી જ મૂંઝવણ

Ahmedabad Samay

નરેન્‍દ્ર મોદીએ પીએમ પદના શપથ લેતા પહેલા જ સરકારના કામકાજનો રોડમેપ બનાવી લીધો

Ahmedabad Samay

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શરૂ થઈ ગયું રાજકારણ, વિપક્ષી નેતાઓએ કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો