May 8, 2026
ગુજરાત

આસ્થા ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે પછાત બાળકો માટે સ્કૂલ કીટ અને 330 જેટલા ગાદલાઓ નો વિતરણ કરાયું

સાણંદ તાલુકામાં આવેલા શ્રી દાદાગ્રામ આશ્રમશાળા માં આસ્થા ફાઉન્ડેશન દ્વારા શાળામાં રહેતા અને ત્યાં જ અભ્યાસ કરતા અનાથ અને આર્થિક રીતે પછાત બાળકો માટે સ્કૂલ કીટ અને 330 જેટલા ગાદલાઓ નો વિતરણ કરવા નો કાર્યક્રમ યોજાયો હતો.

 

આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી અશોક દિનોદીયા અને ટ્રસ્ટી શ્રી શિવાંગીબેન ચૌધરી યે તારીખ 27/6/2023 ના રોજ શાળાની મુલાકાત લીધી હતી. અને શાળાના ટ્રસ્ટી શ્રી જયસિંગભાઈ એ તેમને દાદા ગ્રામ પ્રાઇમરિ સ્કૂલ અને આશ્રમની તમામ પ્રકારની માહિતી વિસ્તારપૂર્વક આપી હતી .ત્યારે તેમને બાળકોની જરૂરિયાત વિષયની ચર્ચા કરી ત્યારે માનસિગભાઈ એ જણાવ્યું કે બાળકો જમીન પર ઊંઘે છે. તેનું તેમને ઘણું દુઃખ થાય છે. અને તેમનું એવું સ્વપ્ન હતું કે કોઈ દાતા આ બાળકોને ઊંઘવા માટે ગાદલાઓ ની જરૂરિયાત પૂરી કરે. આશ્રમની વર્તમાન સ્થિતિને જોઈને આસ્થા ફાઉન્ડેશન તાત્કાલિક ધોરણે 330 ગાદલા અને જરૂરિયાત પ્રમાણે બાળકોને સ્કૂલ કીટ પુરી પાડી હતી.

Related posts

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

આનંદનગરમાં લાગેલી આંગમાં ૦૩ લાખ રોકડ અને ઘરેણા બળીને ખાક થયા

Ahmedabad Samay

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી નહિ

Ahmedabad Samay

તા.૨૬ – ૨૭ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો