સાણંદ તાલુકામાં આવેલા શ્રી દાદાગ્રામ આશ્રમશાળા માં આસ્થા ફાઉન્ડેશન દ્વારા શાળામાં રહેતા અને ત્યાં જ અભ્યાસ કરતા અનાથ અને આર્થિક રીતે પછાત બાળકો માટે સ્કૂલ કીટ અને 330 જેટલા ગાદલાઓ નો વિતરણ કરવા નો કાર્યક્રમ યોજાયો હતો.
આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી અશોક દિનોદીયા અને ટ્રસ્ટી શ્રી શિવાંગીબેન ચૌધરી યે તારીખ 27/6/2023 ના રોજ શાળાની મુલાકાત લીધી હતી. અને શાળાના ટ્રસ્ટી શ્રી જયસિંગભાઈ એ તેમને દાદા ગ્રામ પ્રાઇમરિ સ્કૂલ અને આશ્રમની તમામ પ્રકારની માહિતી વિસ્તારપૂર્વક આપી હતી .ત્યારે તેમને બાળકોની જરૂરિયાત વિષયની ચર્ચા કરી ત્યારે માનસિગભાઈ એ જણાવ્યું કે બાળકો જમીન પર ઊંઘે છે. તેનું તેમને ઘણું દુઃખ થાય છે. અને તેમનું એવું સ્વપ્ન હતું કે કોઈ દાતા આ બાળકોને ઊંઘવા માટે ગાદલાઓ ની જરૂરિયાત પૂરી કરે. આશ્રમની વર્તમાન સ્થિતિને જોઈને આસ્થા ફાઉન્ડેશન તાત્કાલિક ધોરણે 330 ગાદલા અને જરૂરિયાત પ્રમાણે બાળકોને સ્કૂલ કીટ પુરી પાડી હતી.

