May 12, 2026
અપરાધ

અમદાવાદ – સરખેજ ગાંધીનગર હાઈવે પર 7 મહિનામાં 45 અકસ્માતો થયા, 23ના મોત

અમદાવાદમાં એસજી હાઈવે પર અકસ્માતનો સીલસીલો સતત સામે આવી રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં જ અકસ્માતના કારણે એસજી હાઈવે પર 23 લોકો મોતને ભેટ્યા છે જેમાં તાજેતરમાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતની ઘટના પણ સામેલ છે જેમાં એક સાથે 9 લોકોના મોત નિપજ્યા છે.

એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો સીલસીલો જારી રહેતા આ રોડ લોકો માટે પણ ડેન્જર બની રહ્યો છે. મોત સવારી સમાન આ રોડ પર વાહન ચાલકોની બેદરકારી પણ જવાબદાર હોય છે. 2023ના છેલ્લા 7 મહિનાના આંકડાઓ પ્રમાણે 23 લોકોના મોત થયા જ્યારે બાકીના લોકો ઘાયલ થયા જેમાં ગભીર રીતે ઘાયલ થવાના પણ બનાવો સામે આવ્યા છે.

ઈસ્કોન સર્કલ પાસે 10ના મોત
2017થી 2021 સુધીમાં 28 લોકોના અકસ્માતો માત્ર ઈસ્કોન સર્કલ પર જ થયા છે. જેમાંથી 10 લોકોના મોત નિપજ્યા છે. ઈસ્કોન પાસેના અકસ્માતો લોકો માટે ઘાતકી બની રહ્યા છે.

સમગ્ર અમદાવાદના અકસ્માતોની વાત કરવામાં આવે  તો આ વર્ષમાં જૂન મહિના સુધીમાં 237 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ આંકડો ખૂબ ચિંતાજનક છે. આ આંકડાઓ બાદ ચોક્કસથી અનુમાન લગાવી શકાય છે કે, અમદાવાદમાં વાહનો ચલાવવા કેટલું મુશ્કેલ છે.

Related posts

રાજસ્થાન: ઘૂરીને જોવા પર મચ્યો હોબાળો, તલવારોથી કર્યો હુમલો, વિસ્તારમાં ભારે દળ તૈનાત

Ahmedabad Samay

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી,શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા 5 ઈસમો સહિત કુલ 37 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

એક બાજુ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ: તો બીજી બાજુ ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે થઈ મોટાપાયે માથાકૂટ

Ahmedabad Samay

કેટલી હદે વિકૃત.! બોટાદમાં ૮૧ વર્ષીય રેપ, બાદમાં ગળેફાંસો આપી મર્ડર, ફરિયાદ દાખલ વૃદ્ધા સાથે

Ahmedabad Samay

સુરત: રૂદરપુરામાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કર્યો હોવાની આશંકા

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો