January 24, 2026
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશના 6માંથી 2 દરવાજાઓ હવેથી ખુલ્લા રહેશે.આ દરવાજાઓ પર યુનિવર્સિટી સ્ટાફ, વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે અન્ય વાહનોને સ્ટીકર વિનાના હશે તેમને અંદર પ્રવેશ નહીં અપાય.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય વાહન પ્રવેશ મામલે લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, અધ્યપકો, કર્મચારીઓ અને સ્ટાફના વાહનોને જ પ્રવેશ મળશે. આ સિવાયના બિનઅધિકૃત વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે. સ્ટીકર લાગેલું હશે તે વાહનોને પ્રવેશ આપવાને લઈને યુનિવર્સિટીના કુલપતિએ નિર્દેશ કર્યો છે. યુનિવર્સિટીની ફરતે દરવાજાઓ છે ત્યારે મુખ્ય બે દરવાજાઓ જ ખુલ્લા રાખવામાં આવશે.

અમદાવાદમાં એક તરફ વાહનો બેફામ રીતે ચલાવવાને લઈને રાવ ઉઠી છે. જેનું પરીણામ પણ તાજેતરમાં બનેલા ઈસ્કોન બ્રિજ પરનો અકસ્માત છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ બિનઅધિકૃત વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

જો કે, વિઝીટર્સ પણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં આવતા હોય છે જેથી વિઝીટર્સને એન્ટ્રી કરાવીને અંદર પ્રવેશ આપવામાં આવશે. જે બિનઅધિકૃત રીતે યુનિવર્સિટીમાં વાહનો સાથે ચક્કર લગાવવામાં આવશે તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે. 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે.

Related posts

અમદાવાદ જિલ્લામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી થકી સમગ્ર જિલ્લામાં 35,175 વૃક્ષો ઉછેરાશે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો