August 8, 2026
રમતગમત

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે રોહિત શર્માની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું – તે પેનિક થઈ જાય છે…

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશિપની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. શોએબ અખ્તરે કહ્યું કે રોહિત શર્મા બેટ્સમેન તરીકે ખૂબ જ સારો છે, પરંતુ તે કેપ્ટનશિપ કરતી વખતે ઘણી પરિસ્થિતિઓમાં ગભરાઈ જાય છે. અખ્તરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું ઉદાહરણ ટાંક્યું, જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ આઈસીસી ટ્રોફી જીતી.

નર્વસ થઈ જાય છે રોહિત શર્મા

શોએબ અખ્તરે કહ્યું કે, જ્યારે હું રોહિત શર્માને જોઉં છું ત્યારે મારા મગજમાં એક પ્રશ્ન આવે છે કે શું તેમણે ભારતીય ટીમની કેપ્ટનશીપ સ્વીકારવી જોઈતી હતી. તે ઘણા પ્રસંગોએ નર્વસ થઈ જાય છે અને તેમના પર દબાણ આવવા દે છે. ઘણી પરિસ્થિતિઓમાં, તેઓ ખૂબ જ ગભરાઈ જાય છે અને અસ્વસ્થ પણ દેખાય છે. અખ્તરે કહ્યું કે કોહલી સાથે પણ એવું જ થયું, કેપ્ટન્સીનું દબાણ નબળા કરે છે અને આ જ કારણ છે કે ભારત કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી.

ભારત પાસે વર્લ્ડ કપ જીતનાર ટીમ

પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ કપ જીતવા માટેની ટીમ છે. રોહિત શર્મા બેટ્સમેન તરીકે પણ ઘણો સારો છે અને તે વિરાટ કોહલી કરતા વધુ પ્રતિભાશાળી છે. પરંતુ શું તે સુકાનીપદથી વર્લ્ડ કપ જીતવામાં સક્ષમ છે? ભારતીય ચાહકો આ વખતે રોહિત શર્મા પાસેથી વર્લ્ડ કપ ટ્રોફીની અપેક્ષા રાખી રહ્યા છે અને રોહિત પર ઘણું દબાણ હશે, જોવાનું રહેશે કે રોહિત આ દબાણમાંથી કેવી રીતે બહાર આવે છે.

ધોની સાથે આ મામલે કરી સરખામણી

શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના વખાણ કરતા કહ્યું કે તે એવા કેપ્ટન હતા જે પોતાના પર તમામ દબાણ લઈ લેતા હતા અને આખી ટીમને પાછળ છુપાવી લેતા હતા. તેમણે કહ્યું કે ધોનીની કપ્તાનીમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને પછી 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, તેમણે કેપ્ટનશિપ છોડતાં જ ભારત માટે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. રોહિત શર્મા તેમના પર દબાણને હાવી થવા દે છે, તેમણે તેમાંથી બહાર આવવું પડશે.

Related posts

MI vs CSK: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માંથી કોણ જીતશે?  મેચ પહેલા જાણો જવાબ

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે ભારતને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

RR vs PBKS Highlights: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવ્યુ, નાથન એલિસની ચાર વિકેટ

Ahmedabad Samay

વિદ્યાનિકેતન સ્કૂલમાં યોજાયેલ ચેસ સ્પર્ધામાં ધ્વનિતી પ્રજાપતિ આવ્યો પ્રથમ

Ahmedabad Samay

આવતીકાલે IPL શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર એકબીજા સામે ટકરાશે

Ahmedabad Samay

IPL 2025 ની પ્રથમ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 22 માર્ચે ઈડન ગાર્ડન ખાતે થશે મુકાબલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો