March 25, 2026
Other

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ રાજ્યભરમાં તા.૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા તાલુકા કક્ષાના વિવિધ કાર્યક્રમોમાં કુલ ૧.૧૨ લાખથી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમમાં રાજ્યભરમાં કુલ ૨૧,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં મારી માટી, મારો દેશ અભિયાનમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. ગુજરાતમાં તા.૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ અભિયાન અંતર્ગત ૨૪૮ તાલુકોઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પાંચ દિવસમાં કુલ ૧,૧૨,૦૯૮
નાગરિકોએ સેલ્ફી સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૧,૬૭૦ વૃક્ષોનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ અંદાજે ૧,૬૪૭ વીરો-પરિવારોને સન્માનિત
કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૪૮ તાલુકાઓમાં ૨૪૮ શિલાફલકમ એટલે કે પથ્થરની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં તાલુકા કક્ષાએ અંદાજે ૧,૧૨,૪૬૦ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં મારી માટી, મારો દેશ અભિયાનને ભવ્ય સફળતા મળી છે.જ્યારે તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ ૨૦૨૩ સુધી તાલુકા સ્તરે યોજાયેલા આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Related posts

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

આપણા ઘરના રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી હેર પેક બનાવી શકાય

Ahmedabad Samay

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

Ahmedabad Samay

અમદાવાદે અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad Samay

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો