May 10, 2026
Other

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.ખેડાના થસરામાં આ પથ્‍થરમારાની ઘટના બાદ બે જૂથો વચ્‍ચે તણાવ વધી ગયો હતો, ત્‍યારબાદ પોલીસે વિવિધ વિસ્‍તારોમાં કોમ્‍બિંગ કર્યું હતું અને છ પથ્‍થરબાજો સહિત ૧૫ લોકોની ધરપકડ કરી હતી.

 

ઠાસરામાં શિવ યાત્રા દરમિયાન થયેલા પથ્‍થરમારા બાદ પોલીસે આ વિસ્‍તારમાં સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન બનાવી દીધી છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. પોલીસે સંવેદનશીલ વિસ્‍તારોમાં ફ્‌લેગ માર્ચ પણ કાઢી હતી. આ ઉપરાંત પોલીસે પેટ્રોલીંગ પણ વધારી દીધું છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર સર્થે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

વિધર્મીઓને પથ્‍થરમારો કરવા કોણે ઉશ્‍કેર્યા તે જાણવા માટે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પત્‍થરો કયાંથી આવ્‍યા? શું આ ઘટના માટે પહેલેથી જ તૈયારી હતી? આ તમામ ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જો કે હવે આ વિસ્‍તારમાં શાંતિનો માહોલ છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સમુદાય એક ધાર્મિક સ્‍થળની ટોચ પર ઉભા રહીને પથ્‍થરમારો કરી રહ્યો છે, ત્‍યારબાદ બંને તરફથી પથ્‍થરમારો શરૂ થઈ ગયો છે. તે પછી, તે સાંકડી શેરીઓમાં પડેલા પથ્‍થરો જોઈ શકાય છે. આ જ વીડિયોમાં રસ્‍તા પર પડેલા ચપ્‍પલ પણ જોઈ શકાય છે, જ્‍યારે નાસભાગ મચી ત્‍યારે લોકો કઈ હાલતમાં દોડ્‍યા હતા તેનો અંદાજ પણ લગાવી શકાય છે.

Related posts

ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથધરાઈ હતી તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Ahmedabad Samay

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો

Ahmedabad Samay

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

Ahmedabad Samay

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

Ahmedabad Samay

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

Ahmedabad Samay

અમદાવાદે અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો