March 23, 2026
બિઝનેસ

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનીનું નામ ઉમેરવા માટે ૩૦મી જુન ૨૦૨૪ સુધીની સૂચના આપવામાં આવી

મ્‍યુચ્‍યુઅલ ફંડમાં ઇન્‍વેસ્‍ટ કરનારાઓને તેમના ઇન્‍વેસ્‍ટમેન્‍ટમાં નોમિનીનું નામ ઉમેરવા માટેની મુદત આજે લંબાવીને સિક્‍યોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડે ૩૦મી જૂન ૨૦૨૪ કરી આપવામાં આવી છે. આ અગાઉ તેમને ૩૧મી ડિસેમ્‍બર સુધીમાં નોમિનીના નામ ઉમેરી દેવાની સૂચના આપવામાં આવી હતી.

મ્‍યુચ્‍યુઅલ ફંડમાં મુડી રોકાણ કરનારાઓના રોકાણના નાણા તેમની ગેરહયાતીમાં તેમના કાયદેસરના વારસદારો સુધી પહોંચે તે હેતુથી જ તેમને તેમના મૂડીરોકાણમાં નોમિનીના નામ ઉમેરી દેવાની સુચના આપવામાં આવી છે. આ મુદતમાં છ માસ માટે લંબાવવામાં આવી છે. આ માટે દરેક ઇન્‍વેસ્‍ટર્સે એક ફોર્મ ભરવાની રહેશે. આ ડિક્‍લેરેશન ફોર્મમાં લાભાર્થીના નામ આપવાના રહેશે. લાભાર્થીના નામ આપવામાં નિષ્‍ફળ જનાર રોકાણકારોના ફોલિયોને સ્‍થગિત કરી દેવામાં આવશે.

મ્‍યુચ્‍યુઅલ ફંડના ઇન્‍વેસ્‍ટર્સ વતીથી કરવામાં આવેલી રજુઆતોને ધ્‍યાનમાં લઇને સેબીએ આ મુદત લંબાવી આપી છે. મ્‍યુચ્‍યુઅલ ફંડના દરેક ઇન્‍વેસ્‍ટર્સના ડિમેટ એકાઉન્‍ટને માટે નોમિનેશનની જોગવાઇ લાગુ કરવામાં આવી છે. આ માટે ૩૦મી જુન ૨૦૨૪ સુધીની સૂચના આપવામાં આવી હોવાનું સિક્‍યોરીટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડ ઓફ ઇન્‍ડિયા દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

સેબીએ આ સાથે જ મ્‍યુચ્‍યુઅલ ફંડના દરેક ઇન્‍વેસ્‍ટર્સને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટેના ફોર્મ ભરાવતી વખતે જ તેમના નોમિનીના નામ ભરાવી દેવાની વ્‍યવસ્‍થા કરવા જણાવવામાં આવ્‍યુ છે. એસેટ મેનેજમેન્‍ટ કંપનીના લેવલથી જ આ વ્‍યવસ્‍થા કરી દેવામાં આવી રહી છે. તેમને દર પખવાડિયે આ વિગતો મોકલી આપવાની સુચના પણ આપવામાં આવી છે. આ વિગતો મેઇલથી કે એસએમેએસથી મોકલી આપવાની સુચના અપાઇ છે.

Related posts

એક જ ઝટકામાં એલન મસ્કે ગુમાવ્યા $20 બિલિયન, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં અત્યાર સુધીનો સાતમો સૌથી મોટો ઘટાડો

Ahmedabad Samay

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

Ahmedabad Samay

શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 123 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી

Ahmedabad Samay

Investment Tips / અમીર લોકોની હોય છે આ આદતો, ત્યારે જ બનાવી શકે છે મોટા પ્રમાણમાં રૂપિયા

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

સોમવારથી શેરબજારમાં મોટી ઉથલપાથલની શક્યતા, આ પરિબળોને કારણે રોકાણકારોએ રાખવું ધ્યાન!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો