March 27, 2026
ગુજરાતતાજા સમાચાર

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 વિધાર્થી અને 2 શિક્ષકનું મોત થયું છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા એવી પણ ચર્ચા જાગી છે


જાણવા મળ્યા મુજબ હરણી વિસ્તારમાં આવેલા તળાવને વિકસાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તે લેક વ્યૂ નામથી તળાવ વિકસાવવામાં આવ્યું હતું જેમાં આજે બોટિંગ દરમિયાન ખાનગી સ્કૂલના ૨૫થી વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પલટી ખાઈ જતા બાળકો ડૂબી ગયા ની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરતા પ્રાથમિક માહિતી પ્રમાણે પાંચ બાળકના મોત થયાનું બહાર આવ્યું છે

હાલમાં લખાઈ રહ્યું છે ત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે. જેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. હાલ 7 વિદ્યાર્થીઓના રેસ્ક્યુ કરાયા હોવાની માહિતી મળી છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા લેક વ્યુ હરણી ગામના તળાવ ની મુલાકાત લેવા ખાનગી સ્કૂલના બાળકો ને લઈ શિક્ષકો પહોંચ્યા હતા જ્યાં તે બાળકોને બોટીંગ કરાવવા બોટમાં બેસાડવામાં આવ્યા હતા. બુટ તળાવની વચ્ચે પહોંચતા વધુ ભારને કારણે પલટી ખાઈ જતા બાળકો ડૂબી ગયા ની બુમાબૂમ થતા તેઓને ખેંચીને બહાર કાઢવા માં આવ્યા હતા.

Related posts

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

નરોડામાં કોરોના ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લંઘન, સોડા સોંપ પર લોકોની ભીડ જોતા લાગે કે “ What is Corona ? ”

Ahmedabad Samay

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

શુક્રવાર ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ છે કામદા એકાદશી. જાણો વ્રતની કથા અને ફાયદા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો