યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા તમામ માતા-બહેનો સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે રૂબરૂ મુલાકાત કરીને તેમના અનુભવ સાંભળ્યા હતાં.

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વડીલોના આશીર્વાદ મળે એટલે જગ જીતી જવાય. હાલ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિરમગામ વિધાનસભાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ૫૬૦૦ લોકોને પરિક્રમા અર્થે અંબાજી મોકલવામાં આવ્યા હતા.
