August 9, 2026
ગુજરાત

આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે,કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટમાંથી આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે. કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા બેન્‍ચે આસારામને માધવબાગ હાર્ટ હોસ્‍પિટલમાં સારવાર માટે રાજસ્‍થાન હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવા જણાવ્‍યું હતું. આ કાયદા મુજબ ગણવામાં આવશે.

સર્વોચ્‍ચ અદાલતે સ્‍વાસ્‍થયના આધારે બળાત્‍કારના કેસમાં સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી સ્‍વયંભૂ ગોડમેન આસારામ બાપુની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

આસારામ વતી કોર્ટને કહેવામાં આવ્‍યું હતું કે તે સરકારી વકીલના નિવેદનને સ્‍વીકારવા તૈયાર છે કે તે મહારાષ્ટ્રના ખોપોલીમાં માધવબાગ હાર્ટ હોસ્‍પિટલમાં પોલીસ કસ્‍ટડીમાં સારવાર કરાવી શકે છે. આના પર જસ્‍ટિસ સંજીવ ખન્ના અને જસ્‍ટિસ દીપાંકર દત્તાની બેંચે તેમને રાહત માટે રાજસ્‍થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું.ખંડપીઠે આસારામને માધવબાગ હાર્ટ હોસ્‍પિટલમાં તેની સારવાર માટે રાજસ્‍થાન હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવા કહ્યું અને તેને કાયદા મુજબ ગણવામાં આવશે. ન્‍યાયાધીશ ખન્નાએ આસારામના ઇરાદાપૂર્વકના પ્રયાસોની નોંધ પણ કરી હતી કે આ કેસમાં તેમની દોષિત ઠરાવી અને સજા સામે હાઇકોર્ટ સમક્ષ તેમની અપીલની સુનાવણીમાં વિલંબ થાય છે.

૨૦૧૮ માં આશારામને જોધપુરની વિશેષ પોક્‍સો અદાલત દ્વારા બળાત્‍કાર સહિતના વિવિધ ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્‍યો હતો. તેમને આજીવન કેદની સજા થઈ. તે ૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૩થી કસ્‍ટડીમાં છે, જયારે તેની ઇન્‍દોરમાં આશ્રમમાં કિશોરી પર બળાત્‍કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને જોધપુર લાવવામાં આવ્‍યો હતો. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્‍યો હતો કે ૧૫ ઓગસ્‍ટ, ૨૦૧૩ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્‍થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્‍કાર કર્યો હતો.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

Ahmedabad Samay

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

Ahmedabad Samay

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો