May 9, 2026
ગુજરાતરાજકારણ

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ  રાજયની ઈલેકિટ્રકલ વ્હિકલ પોલિસી જાહેરાત કરી છે. જે પ્રમાણે વિવિધ વ્હિકલ માટે સબસિડીની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખાય છે. આપણે પેટ્રોલ વ્હીકલ એકસપોર્ટ કરીએ છીએ અને ઈલેકિટ્રક વાહન ચાલે તો પ્રદૂષણ મુકત ગુજરાત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રથમ રાજય છે જેેણે આ નીતિ બનાવી છે કે જેનો આવનારા ૪ વર્ષ માટે પોલિસીનો અમલ થશે. આ પ્રકારની પોલિસીને લઈ ૬ લાખ ટન કાર્બનનો ઉત્સર્ગ બચશે અને સાથે જ ૫ કરોડનું ઈંધણ બચશે. ૩ વ્હીલરમાં ૫૦ હજાર અને ૪ વ્હીલરમાં ૧.૫ લાખની સબસિડી અપાશે. પ્રતિ કિલો વોટ સબસીડીઈઝ કરાશે કે જેને માટે ૨૫૦ ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયા છે અને વધુ ૨૫૦ ચાર્જીંગ સ્ટેશન મંજૂર કરાશે.

ગુજરાતને પ્રદૂષણમુકત બનાવવા રાજય સરકારની જાહેરાત હેઠળ ટુ વ્હીલર માટે રૂ.૨૦ હજાર સુધીની સબસીડી, થ્રી વ્હીલર માટે રૂ.૫૦ હજાર સુધીની સબસીડી, ફોર વ્હીલર માટે રૂ.૧.૫૦ લાખ સુધીની સબસીડી આપવામાં આવશે.  સબસીડી આપી ઇલે.વ્હિકલને સસ્તા બનાવવા પ્રયાસ છે. ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે પણ સબસીડી અપાશે.  ૫૦૦ ઇલે.વાહનની બેટરી ચાર્જ કરવા માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.

ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે

Related posts

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

કિન્નરને લિફ્ટ આપવુ પડ્યુ ભારે, નરોડા વિસ્તારમાં વેપારી સાથે બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદ રૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો