ગુજરાતના સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને મુસ્લિમ આક્રમણકારોએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને તે મંદિરના શિખર તોડી નાખ્યા હતા. તેને મસ્જિદ જેવા ગુંબજ સાથે મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. તે જ જગ્યાએ નંદી સ્થાનના વિસ્તારને તોડીને વજુ ખાના બનાવવામાં આવ્યા હતા.

કરોડો હિંદુઓના આસ્થાના આ પવિત્ર સ્થળને મુક્ત કરવા અને તેને ફરીથી પૂજા માટે સોંપવા માટે આજરોજ શ્રી અજય પ્રતાપ સિંહ દ્વારા સિધ્ધપુર કોર્ટમાં અરજી (સ્પેશિયલ સિવિલ સુટ) દાખલ કરવામાં આવી છે. શ્રી ભવાનીસિંહ શેખાવત, શ્રી અનિલ સિસોદિયા, શ્રી વી.ડી. ઝાલા, શ્રી સંજીવન શર્મા, શ્રી ઠાકોર જી અને વરિષ્ઠ વકીલ દ્વારા આ અરજી કરવામા આવી છે, હવે જોવાનું એ છે આ યાચીકા પર વહેલી તકે હિન્દુઓની આસ્થાને ન્યાય કેટલા સમયમાં મળશે.
