ગતરોજ ભારત દેશના ૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ધ્વજવંદન કરી પંચના બાળકો દ્વારા દેશ ભક્તિના જુદા જુદા ગીતો ઉપર સુંદર પરફોર્મન્સ કરવામાં આવી હતું અને દેશ ભક્તિના ગીતો પણ ગાવવામાં આવ્યા હતા, 
પરફોર્મન્સ કરનાર દરેક બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં સમૂહ ભોજન કરી આ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંચના સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

