આજરોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં કલકત્તા માં ડોક્ટર દીકરી પર થયેલ જધન્ય બળાત્કાર અને નિર્મમ હત્યા નો સહુ ડોક્ટર મિત્રો દ્વારા સજ્જડ વિરોધ કર્યો છે અને એના પરિવાર ને સંવેદના વ્યક્ત કરીએ છી, નરોડના તમામ ડોક્ટર દ્વારા સામૂહિક વિરોધ અને સંવેદના પ્રગટ કરવા માટે સહુ ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી નું આયોજન કર્યું હતું,
એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ કાર્યક્રમ માં પ્રત્યેક ડોક્ટર મિત્રને અચૂક સમયસર હાજર રહી સક્રિય સહભાગી થવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી હતી જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા અને હોસ્પિટલ, દવાખાના, ક્લિનિક ને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા.
